મોહિની એકાદશી shashtriji bhavnagar
હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 27 તારીખ સોમવારે મોહિની એકાદશી છે. મોહિની એકાદશી ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા:- હે ભગવાન શ્રી કૃષ્ણ વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી નું નામ શું છે ? તેની વિધિ કઈ છે ? બંધુ વિસ્તાર પૂવૅક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:- હે ધમૅનંદન હું તમને એક પ્રાચીન કથા કહું છું જે મહષિ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી. શ્રીરામ બોલ્યા:- હે ગુરુદેવ તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી સમસ્ત પાપ અને દુ:ખ નષ્ટ થઈ જાય. મેં જનકનંદિની શ્રી સીતાજીના વિયોગમાં ધણાં દુ:ખ ભોગવ્યા છે. તેથી હવે તમે કોઈ વ્રત બતાવો. મહષિ વશિષ્ઠજી બોલ્યા: હે રામ તમે પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તમારા નામના સ્મરણથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમા અવશ્ય કામ આવશે. વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ અને દુ:ખ કપાઈ જાય છે. આ વ્રત કરવાથી મનુષ્ય મોહજાળમાં ધથી મુક્ત થઈ જાય છે. તેથી હે રામ ! આ એકા...