सप्तमर्यादा: कवयस्तचक्षु: । shastri bhavnagar
હર મહાદેવ spiritual shastri
सप्तमर्यादा: कवयस्तचक्षु: ।
કવિજન – જ્ઞાનીજન – વિદ્વતજન માટેની સપ્તપદી
વેદમાં વર્ણવેલી સાત મર્યાદાઓ...
[૧] કામ – ક્રોદ્ધ – લોભ
આ ત્રણે વિકૃત વિચારોમાંથી નિપજતા ખોટા વિચારો
એમાંથી પોતાની જાતને બચાવવી
સમયે સમયે આ ત્રણે જીવનમાં જરૂરી છે
પણ આ ત્રણેનો જીવનમાં અને
વિચારોમાં અતિરેક ન થવા દેવો..
[૨] ધ્યુત અને મધ્યપાનથી બચવું –
કોઈ જાતનો જુગાર ન રમવો અને
દેહને નુકશાન કરે એવો કોઈ નશાને આધીન ના થવું
આ બેમાંથી જીવનકવનને બચાવવું..
આ બે થી દૂર રહેવું...
[૩] મારામારી ન કરવી...
કવિજન – જ્ઞાનીજન – વિદ્વતજન આ ક્યારેય
દૈહિક મારામારી તો ન જ કરે પણ ક્યારેક
વચનોનો માર મારી ને મારામારી કરતાં હોય છે
પ્રવચન કરવા ઊભા થયેલા વક્તા સામે
આંગળી ચીંધી ને કહે કે – આણે બહુ લાંબુ કર્યું –
એ પણ એક જાતની મારામારી જ છે
કારણ વગરના ઘર્ષણો ઊભા ન કરવા...
[૪] નારીની અવગણના ન કરવી –
વિચારશીલ પુરુષો પોતાની રચનાઑ દ્વારા
આપણને કહે છે કે
જગતમાં નારી સમાજનું અપમાન ન કરવું
નારી અપમાનના ફળો કોઈપણ યુગમાં સારા નથી આવતા
માટે આપણાં મનીષીઓ આપણને સાવધાન કરે છે
કે નારીની અવહેલના ન કરવી...
[૫] શિકાર ન કરવો –
મતલબ કોઈનું શોષણ ન કરવું..
કોઇની રચના પોતાના નામે ચડાવી અને
વહેતી મૂકવી એ શાસ્ત્રમાં પ્રજ્ઞા અપરાધ કહ્યો છે...
કોઇની નકલ ન કરવી પણ
પોતાની મૌલિકતા અને નિજતામાં જીવન જીવવું
[૬] કોઇની નિંદા ન કરવી –
કેવલ નિજલાભ માટે
કારણ વગરની કોઇની પ્રશંસા ન કરવી...
ઘણીવખત આપણે કોઇની પ્રશંસા કરતા હોઈએ છીએ
પણ એમની ગેરહાજરીમાં બીજું ઘણું બધુ
આપણે કરતાં હોઈએ છીએ..
કોઈનું શોષણ ન કરીએ એ બતાવ્યુ કે
શોષણ ન થાય તો બને એટલું બીજાનું પોષણ થાય..
નિંદા ન કરાય – નિદાન કરવાની છૂટ છે...
[૭] કઠોરતાનો ત્યાગ કરવો –
વાણી અને વર્તનમાં ક્યાય કઠોરતા ન પ્રગટે
એની સાવધાની રાખવી...
ઘણીવખત આપણે સ્પષ્ટ વક્તા બનીને
કોઈના દીલને ઠેસ પહોચાડતા હોઈએ છીએ...
અભ્યાસ કર્યા વગર કોઈના વિષે
ઉતાવળા થઈને અભિપ્રાય ન આપવો ...
हरि स्मरण सह प्रणाम...
- भोलानाथ शास्त्री
हरी की कृपा से हरि के भक्तों को सप्रेम प्रणाम
शास्त्री जी भावनगर
Comments