सप्तमर्यादा: कवयस्तचक्षु: । shastri bhavnagar


હર મહાદેવ  spiritual shastri 

सप्तमर्यादा: कवयस्तचक्षु: । 

કવિજન – જ્ઞાનીજન – વિદ્વતજન માટેની સપ્તપદી  
વેદમાં વર્ણવેલી સાત મર્યાદાઓ... 

[૧]  કામ – ક્રોદ્ધ – લોભ 
આ ત્રણે વિકૃત વિચારોમાંથી નિપજતા ખોટા વિચારો 
એમાંથી પોતાની જાતને બચાવવી
સમયે સમયે આ ત્રણે જીવનમાં જરૂરી છે 
પણ આ ત્રણેનો જીવનમાં અને 
વિચારોમાં અતિરેક ન થવા દેવો.. 

[૨] ધ્યુત અને મધ્યપાનથી બચવું – 
કોઈ જાતનો જુગાર ન રમવો અને 
દેહને નુકશાન કરે એવો કોઈ નશાને આધીન ના થવું 
આ બેમાંથી જીવનકવનને બચાવવું..  
આ બે થી દૂર રહેવું... 

[૩] મારામારી ન કરવી...   
કવિજન – જ્ઞાનીજન – વિદ્વતજન આ ક્યારેય 
દૈહિક મારામારી તો ન જ કરે પણ ક્યારેક 
વચનોનો માર મારી ને મારામારી કરતાં હોય છે 
પ્રવચન કરવા ઊભા થયેલા વક્તા સામે 
આંગળી ચીંધી ને કહે કે – આણે બહુ લાંબુ કર્યું – 
એ પણ એક જાતની મારામારી જ છે 
કારણ વગરના ઘર્ષણો ઊભા ન કરવા... 

[૪] નારીની અવગણના ન કરવી – 
વિચારશીલ પુરુષો પોતાની રચનાઑ દ્વારા 
આપણને કહે છે કે  
જગતમાં નારી સમાજનું અપમાન ન કરવું 
નારી અપમાનના ફળો કોઈપણ યુગમાં સારા નથી આવતા 
માટે આપણાં મનીષીઓ આપણને સાવધાન કરે છે
કે નારીની અવહેલના ન કરવી... 

[૫] શિકાર ન કરવો – 
મતલબ કોઈનું શોષણ ન કરવું.. 
કોઇની રચના પોતાના નામે ચડાવી અને 
વહેતી મૂકવી એ શાસ્ત્રમાં પ્રજ્ઞા અપરાધ કહ્યો છે... 
કોઇની નકલ ન કરવી પણ 
પોતાની મૌલિકતા અને નિજતામાં જીવન જીવવું 

[૬] કોઇની નિંદા ન કરવી – 
કેવલ નિજલાભ માટે 
કારણ વગરની કોઇની પ્રશંસા ન કરવી... 
ઘણીવખત આપણે કોઇની પ્રશંસા કરતા હોઈએ છીએ 
પણ એમની ગેરહાજરીમાં બીજું ઘણું બધુ 
આપણે કરતાં હોઈએ છીએ.. 
કોઈનું શોષણ ન કરીએ એ બતાવ્યુ કે 
શોષણ ન થાય તો બને એટલું બીજાનું પોષણ થાય.. 
નિંદા ન કરાય – નિદાન કરવાની છૂટ છે... 

[૭] કઠોરતાનો ત્યાગ કરવો – 
વાણી અને વર્તનમાં ક્યાય કઠોરતા ન પ્રગટે 
એની સાવધાની રાખવી... 
ઘણીવખત આપણે સ્પષ્ટ વક્તા બનીને 
કોઈના દીલને ઠેસ પહોચાડતા હોઈએ છીએ... 
અભ્યાસ કર્યા વગર કોઈના વિષે 
ઉતાવળા થઈને અભિપ્રાય ન આપવો ... 

हरि स्मरण सह प्रणाम... 
- भोलानाथ शास्त्री
 हरी की कृपा से हरि के भक्तों को सप्रेम प्रणाम 
शास्त्री जी भावनगर 

Comments

Popular posts from this blog

व्यतिपात योग कब हे? जानिए क्या करे और क्या नहीं

panchang dt२९/०६/२५

रथयात्रा जगन्नाथपुरी